Type Here to Get Search Results !

Infolinks In Text Ads

કરસનદાસ માણેક

0

જન્મ
  • 28- નવેમ્બર , 1901; કરાંચી : વતન હડિયાણા – જિ. જામનગર
ઉપનામ
  • વૈશમ્પાયન, પદ્મ વિ.
અવસાન
  • 18- જાન્યુઆરી, 1978 ; વડોદરા
અભ્યાસ
  • 1927- બી.એ.
વ્યવસાય
  • શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે
  • પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
  • ‘સારથી’ અને ‘નચિકેતા’ સામયિકો પણ ચલાવેલા,
જીવન ઝરમર
  • કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
  • બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ.
  • આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો
મૂખ્ય રચનાઓ
  • કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ
  • કથા – મહાભારતકથા
  • લોકકથા – સિંધુની પ્રેમકથાઓ
  • વર્ણન – આઝાદીની યજ્ઞજ્વાળા
  • પ્રકીર્ણ – અનેક વાર્તા સંગ્રહો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો
લાક્ષણિકતાઓ
  • બહુરંગી , ઉર્મિપ્રાબલ્યવાળી અને માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ
  • કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી મર્મિક કવિતાઓ પણ આપી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.