Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE
Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE
"શાસ્ત્રીજી, જ્યારે આ બંગલામાં ૫ વર્ષથી રહું છુ. પહેલાં બે વરસતો શાંતિ રહી.પછી નાં જાણે કોઈને કોઈ મુશ્કેલી આવે છે,ધંધામાં પણ પડતી શરુ થઇ છે. મારી વાઇફ અને મારી છોકરીની તબિયત પણ અચાનક જ બગડી જાય છે.આમ તો આ બંગલો મેં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ બનાવ્યો છે." મલ્હારે શાસ્ત્રીશ્રી દિનેશભાઇ ને કહ્યું. દીનેશભાઈએ આખા બંગલાનું નિરીક્ષણ કર્યું,વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બંગલો એકદમ પરફેક્ટ હતો. કોઈ જ ખામી નહોતી.અચાનક બંગલાની પાછળ બે નાનકડી ઓરડી હતી. "મલ્હાર ત્યાં શું છે. પેલી બે ઓરડીમાં?
"મમ્મી પાપા રહેતા હતા. 3 વરસ પછી આ બંગલામાં એને એકલું લાગ્યું એટલે એને જ જીદ કરી તો હું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો.ત્યાં તેમની ઉમરના હોય એટલે મમ્મી પાપાને કંપની મળી રહે ને."મલ્હારે થોથવાતા જવાબ આપ્યો.
" એને ઘરે પાછા લઇ આવ, તારી બધી મુસીબત હલ થઇ જશે". આટલું કહીને દિનેશભાઇ બંગલાની બહાર નીકળી ગયા...
લેખક:-મુકેશ સોજિત્રા
શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
મુ.ઢસાગામ તા. :- ગઢડા
જિ:- બોટાદ પીન ૩૬૪૭૩૦
Post a Comment