0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

નામ
  • આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન
ઉપનામ
  • આદમ
કુટુમ્બ
  • માતા – મોતીબાઈ; પિતામુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ
જન્મ
  • 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ
અવસાન
  • 20,મે – 1985; અમદાવાદ
અભ્યાસ
  • બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
  • એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)
વ્યવસાય
  • ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
  • 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
  • 1974 પછી – અમદાવાદમાં પત્રકાર
જીવનઝાંખી
  • માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં. 
  • એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
  • સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
  • ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
  • અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ  જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
  • મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
  • આંતરડાની બીમારીથી અવસાન
રચનાઓ - 33 પુસ્તકો
  • કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
  • નવલકથા- તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો,  સમગ્ર ગઝલ – દીવાને આઝમ
  • અનુવાદ- શ્રેષ્ઠ જર્મન વાતો
  • આત્મકથા. સ્વાનુભવો - હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
  • ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
  • મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
  • ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं
લાક્ષણિકતાઓ
  • તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
  • રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
  • નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top